Thursday 25 January 2018

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૮



વર્ષ ૨૦૧૧થી, ૨૫મી જાન્યુઆરી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઊજવાય છે. ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલી તેમજ બીજા મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કૉલેજનાં વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ચૂંટણી હેલ્પલાઈન માટેનાં રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાનાં ભાગરૂપે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન થયું. વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને ઈનામ વિતરણની કામગીરી પણ યોજવામાં આવી. 

તમારો એક મત પણ ખૂબ જ મૂલ્ય ધરાવે છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. વધુ માહિતી તેમજ ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ - 



No comments:

Post a Comment