Wednesday 25 January 2017

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૭




૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. એના ફક્ત એક દિવસ પહેલા ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ. એ નિમિત્તે આ દિવસ ૨૦૧૧થી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવાય છે. ચૂંટણી હેલ્પલાઈન માટેના રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાના ભાગરૂપે આજે કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર જવાનું થયું. 

ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીની ઉપસ્થિતિમાં તેમજ બીજા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો. રાજ્યકક્ષાએ સારી કામગીરી બદલ ઘણા અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યકક્ષાની મતદાન સંબંધિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો વિતરણ કરવામાં આવ્યાં. 

મોટાભાગનાં લોકોની માનસિકતા છે કે મારા એક મતથી કોઈ ફર્ક પડી જવાનો નથી અને એવા વિચારોને લીધે જ કોઈ પરિવર્તન આવતું નથી. પછી લોકો ફરિયાદ કરતાં રહે છે કે આ વખતે પણ આ સરકાર આવી અને બધા રાજકારણીઓ સરખા જ છે. પરંતુ એની પાછળ એક કારણ એ છે કે ઘણા શિક્ષિત લોકો પણ મતદાન નથી કરતાં. મતદાન આપણી પવિત્ર ફરજ છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. બદલાવની શરૂઆત કરવા માટે ખુદમાં બદલાવ લાવીએ. 

વધુ માહિતી માટે અને ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ-



No comments:

Post a Comment