Saturday 23 September 2017

મૌસમ (૨૦૧૧) - વિવિધ ઋતુઓ સાથે ખીલતો પ્રેમ



આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે...

કોઈ ખાસ વ્યક્તિને સમર્પિત...

પંકજ કપૂરની ફિલ્મ 'મૌસમ' દસ વર્ષનાં સમયગાળાની સાંપ્રત ઘટનાઓને સાંકળી લઈને હેરી (શાહિદ કપૂર) અને આયત (સોનમ કપૂર) બંનેના પ્રેમની વાર્તા માંડે છે. વર્ષ ૧૯૯૨થી વર્ષ ૨૦૦૨ વચ્ચે બનેલી મોટાભાગની ઘટનાઓ આ બંને પ્રેમીઓની જુદાઈ અને ફરીથી મિલનનું કારણ બને છે. મોટાભાગના લોકોએ આ ફિલ્મને પસંદ નહોતી કરી અને આજે પણ ફિલ્મ વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે, પરંતુ મારી ખૂબ જ મનપસંદ એવી આ ફિલ્મનાં છ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે હું થોડીક સુંદર વાતો જરૂર લખીશ. 

ફિલ્મનાં નામ પ્રમાણે હેરી અને આયતનો પ્રેમ દરેક ઋતુમાં ખીલે છે અને સમય જતાં વધારે ગાઢ અને પૂરા મન પર કબજો જમાવી લે તે હદ સુધી પહોંચે છે. હેરી અને આયત જ્યારે પણ મળે છે ત્યારે અલગ ઋતુ ચાલતી હોય છે. તેઓ નવેમ્બરની ઠંડી વચ્ચે વરસાદનો અનુભવ કરે છે, એપ્રિલની ગરમી પણ અનુભવે છે અને ફરીથી ફેબ્રુઆરીની ફૂલગુલાબી ઠંડી... 'રબ્બા' ગીતનાં શબ્દોમાં પણ આયતના પાત્રને વિવિધ ઋતુઓ સાથે સરખાવ્યું છે... ફિલ્મમાં દરેક સમયગાળો લખાઈને આવે છે ત્યારે મહિનો પણ લખેલ હોય છે. બધી ઋતુઓ અને વર્ષોનાં સમયગાળામાં દરેક વસ્તુ અને વ્યક્તિમાં પણ ફેરફાર આવે છે, ફક્ત એક વસ્તુ જે બદલાતી નથી, તે બંનેનો પ્રેમ છે... 






જિંદગીમાં ઘણી વખત જૂની વસ્તુઓ અને યાદો ભૂલી શકાતી નથી, સમાન વસ્તુઓ વારંવાર બને છે ત્યારે પણ એ જૂની વાતો ફરી યાદ આવે છે. મલ્લુકોટમાં હેરી અને તેના મિત્રો જમીનમાં રાખવામાં આવતી મોટી ચીમની આકારની પાઇપમાં બેસીને ભવિષ્ય વિશે વાત કરે છે, સ્કૉટલેન્ડમાં હેરી અને આયત એ જ પ્રકારની પાઇપમાં બેસીને લગ્ન વિશેનાં સ્વપ્નો જુએ છે, અમદાવાદમાં હેરી ફરીથી એ જ પ્રકારની પાઇપમાં આયતને મળે છે, જિંદગી બદલાઈ ચૂકી છે, લોકો આગળ વધી ગયા છે, પરંતુ આયત અને હેરી બંને એકબીજાનાં પ્રેમમાંથી છૂટી શકતાં નથી. એક જ જેવી વિવિધ જગ્યાઓ સાથે બદલાતો સમયગાળો અને ન બદલી શકાતી લાગણીઓની સાથે દર્દ આપતી યાદોને સુંદર રીતે દર્શાવી છે.

હેરી અને આયત જૂની વસ્તુઓ અને યાદોને સાચવી રાખે છે. તેઓ દૂરબીનથી એકબીજાને જોઈ રહેતા એ સમયગાળો યાદ કરે છે, પાછળ છૂટી ગયેલું શહેર યાદ કરે છે, બંનેએ એકબીજા સાથે પહેલી વખત વાત કરેલી એ વખતે આપેલી ચીઠ્ઠીઓ, જૂના ફોટોગ્રાફ્સ અને સૂકાયેલાં ગુલાબનાં ફૂલો સાચવી રાખે છે, કારણ કે વસ્તુઓને ફેંકી દેવાથી પણ ક્યારેય યાદોથી છૂટકારો મળતો નથી.  






ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર છે. 'રબ્બા' ગીત વિવિધ ઋતુઓ સાથે આયતનું વર્ણન કરે છે, તે સાથે જ હેરી અને આયતનાં પ્રેમની શરૂઆત દર્શાવે છે. 'ઇક તુ હી તુ હી' ગીત બંને પ્રેમીઓનાં મિલન અને જુદાઈ સમયની યાદોને વાગોળે છે અને દર્શાવે છે કે તેઓ કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરી શકતાં નથી. આયતની જિંદગીમાં અક્રમ (વૈભવ તલવાર) આવે છે, પણ તે તેનો પ્રેમ સ્વીકારતી નથી. તે જ રીતે રજ્જો (અદિતિ શર્મા) હેરીને બેશુમાર પ્રેમ કરે છે, પણ હેરી આયત સિવાય કોઈને પ્રેમ કરતો નથી. કારણ કે હેરી અને આયત જ એકબીજા માટે સર્જાયેલ છે. 'પૂરે સે ઝરા સા કમ હૈ' ગીતમાં એકબીજા વિનાની અધૂરી જિંદગીનું સુંદર વર્ણન છે. 'આગ લગે ઉસ આગ કો' ગીત પ્રેમની જલન દર્શાવે છે. ફિલ્મમાં જૂના ગીતોનો પણ ઉલ્લેખ છે. એક દ્રશ્યમાં ફિલ્મ 'બીસ સાલ બાદ'નું સુંદર ગીત 'ઝરા નઝરો સે કેહ દો' દર્શાવેલ છે. સ્કૉટલેન્ડમાં આયત 'હમ દોનો' ફિલ્મનું 'અભી ન જાઓ છોડ કર' ગીત ગાય છે, જે હેરીને પોતાને છોડીને ન જવા માટેની વાત કહે છે, જે ફિલ્મની સ્થિતિ સાથે સુંદર રીતે મેળ ખાય છે. ફિલ્મમાં પઠાણે ખાન/ પઠાણા ખાનનું સુંદર ગીત 'મેંડા ઇશ્ક ભી તુ' પણ દર્શાવેલ છે. ફિલ્મનાં આલ્બમમાં ન રજૂ થયેલ ગીત 'ઝરા સી મહેંદી લગા દો' પણ ખૂબ જ સુંદર છે, જે હેરી અને આયત બંનેની પ્રથમ વાતચીત દર્શાવે છે. 

 















ફિલ્મમાં સુખદ અંત છે, તે છતાં પણ હું જેટલી વખત ફિલ્મ જોઈશ ત્યારે મને તેઓનું દર્દ મહેસૂસ થશે, કારણ કે જે રીતે તેઓ એકબીજાનાં ઘરની સામે જોઈ રહે છે, આયત હેરીને પત્રો લખે છે, તે વસ્તુઓ મારી અંદર એક ન વ્યક્ત કરી શકાય તે પ્રકારની અધૂરી લાગણી મૂકી જાય છે. ફિલ્મમાં પ્રેમનું જૂનુન દર્શાવ્યું છે, હેરી આયતનાં પ્રેમમાં મરવા માટે તૈયાર છે, રજ્જો હેરીનાં પ્રેમ માટે મરવા તૈયાર છે, આયત પણ એ જ વાત કહે છે કે જો હેરી એને ન મળ્યો હોત તો એ એને જોયાં વિનાં જ મૃત્યુ પામતી, જે તેની અંદરની અધૂરપ દર્શાવે છે. રજ્જો હેરીને પ્રેમ કરે છે માટે આયતનો પત્ર હેરીને આપતી નથી, આ પ્રકારની નાની વાતો પ્રેમની ચરમસીમાની સાથે પાત્રો વિશે વિગતો આપે છે... 





ફિલ્મમાં થતી વિવિધ ઘટનાઓ આયત અને હેરીનું ભાગ્ય નક્કી કરે છે. બાબરી ધ્વંસથી માંડીને કારગિલ યુધ્ધ અને ગોધરા હત્યાકાંડ પછીનાં તોફાનો હેરી અને આયતની જુદાઈ અને મિલન નક્કી કરે છે. ફિલ્મમાં બંને પાત્રોનો અલગ ધર્મ દર્શાવે છે કે પ્રેમ અને માનવતાથી મોટો કોઈ જ ધર્મ નથી. હિંસા કરતા લોકોનો કોઈ ધર્મ અને ચહેરો હોતો નથી, તે વાતને પણ ખૂબ જ સુંદરતાથી દર્શાવેલ છે. 




સફેદ રંગને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, એ સાથે જ શુધ્ધતા દર્શાવવા માટે પણ સફેદ રંગ સૂચક છે. વિવિધ રંગો સાથે પ્રેમને સાંકળી લેતું અર્થઘટન મને હમેંશા પસંદ છે. આ ફિલ્મમાં હેરી અને આયત ત્રણેય અલગ સમયગાળામાં ત્રણ દ્રશ્યોમાં સફેદ વસ્ત્રોમાં છે. તેઓનો પ્રેમ પવિત્ર અને શુધ્ધ છે, જે વર્ષોની કસોટી પાર કરીને પણ મંજિલ મેળવે છે. સ્કૉટલેન્ડમાં હેરી અને આયત લાલ રંગના પાણીમાં હાથ બોળીને દીવાલ પર થાપા લગાવે છે, જે પ્રેમનો રંગ છે. ફિલ્મનાં અંતમાં તેઓનાં થાપાનો રંગ વાદળી છે, જે વિશ્વાસ અને સ્થિરતાનું પ્રતીક છે, વર્ષો સુધી પોતાનાં પ્રેમીઓને શોધતા રહેલા લોકો વાદળી રંગનાં થાપા લગાવે છે, જે તેઓનાં લગ્ન પછીની સ્થિરતા દર્શાવે છે. કેટલી નાની વાતોનું સુંદર અર્થઘટન થઈ શકે છે! તે જ રીતે ફિલ્મની વાર્તામાં મોઝાર્ટ કોન્સર્ટ પણ મહત્વનો ભાગ ભજવે છે અને એક દ્રશ્યમાં મોઝાર્ટને લગતું પુસ્તક પણ છે. કેટલીક ફિલ્મોનાં નસીબમાં સફળતા હોતી નથી, તે માટેનું ઉદાહરણ આ ફિલ્મ પણ છે, તે છતાં આ પ્રકારની નાની સુંદર વાતો અને બીજી કેટલીક વાતો, જે શબ્દોમાં વ્યક્ત થઈ શકશે નહીં, એ બધી વાતો માટે 'મૌસમ' હમેંશા મારી મનપસંદ રહેશે... 








Books in Movies





Thursday 14 September 2017

Favourite On-Screen Couples


Only from I've seen till date.


Pakhi & Varun
Sonakshi Sinha & Ranveer Singh
Lootera


Aayat & Harry
Sonam Kapoor & Shahid Kapoor
Mausam


Tara & Ved
Deepika Padukone & Ranbir Kapoor
Tamasha


Aarti & J.K.
Suchitra Sen & Sanjeev Kumar
Aandhi


Saraswati & Inder
Mawra Hocane & Harshvardhan Rane
Sanam Teri Kasam


Farah & Kabir
Anushka Sharma & Ranveer Singh
Dil Dhadakne Do



Jack & Ennis
Jake Gyllenhaal & Heath Ledger
Brokeback Mountain


Geet & Aditya
Kareena Kapoor & Shahid Kapoor
Jab We Met


Mia & Sebastian
Emma Stone & Ryan Gosling
La La Land


Maya & Dev
Rani Mukerji & Shah Rukh Khan
Kabhi Alvida Naa Kehna


Rose & Jack
Kate Winslet & Leonardo DiCaprio
Titanic


Brinda & Abhik
Radhika Apte & Rahul Bose
Antaheen


Nandita & Rahul
Rituparna Sengupta & Rahul Bose
Anuranan


Jhilmil & Barfi
Priyanka Chopra & Ranbir Kapoor
Barfi!


Holly & Paul
Audrey Hepburn & George Peppard
Breakfast at Tiffany's


Sana & Aditya
Kangana Ranaut & Shiney Ahuja
Woh Lamhe


The Woman & The Man
Basabdatta Chatterjee & Ritwick Chakraborty
Asha Jaoar Majhe
                

Céline & Jesse
Julie Delpy & Ethan Hawke
Before Trilogy


Aparna & Apurba
Sharmila Tagore & Soumitra Chatterjee
Apur Sansar

Aparna & Ashim
Sharmila Tagore & Soumitra Chatterjee
Aranyer Din Ratri


Emma & Dexter
Anne Hathaway & Jim Sturgess
One Day

Cindy & Dean
Michelle Williams & Ryan Gosling
Blue Valentine
                                        

Clementine & Joel
Kate Winslet & Jim Carrey
Eternal Sunshine of the Spotless Mind



Ally & Tyler
Emilie de Ravin & Robert Pattinson
Remember Me



Friday 8 September 2017

સનમ તેરી કસમ - માફી, પ્રેમ, ઘા, ફૂલો અને આંસુ



આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે. 

રાધિકા રાવ અને વિનય સપ્રુની 'સનમ તેરી કસમ' સુંદર પ્રેમકથા છે. ફિલ્મની વાર્તા એરિક સેગિલની નવલકથા 'લવ સ્ટોરી' પર આધારિત છે. (આ નવલકથા ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં બતાવવામાં પણ આવી છે.) નવલકથાની વાર્તા પ્રમાણે ઓલીવર અને જેનિફર બંને ભિન્ન સ્વભાવ અને ભિન્ન પારિવારિક સંસ્કૃતિ વચ્ચે પણ પ્રેમમાં પડે છે. લગ્ન માટે પરિવારની વિરુધ્ધ જઈને સાથે જીવવાની શરૂઆત કરે છે અને પછી તેમની સાથે બનતી કરુણ ઘટનાથી તેઓની જિંદગી હચમચી જાય છે. વર્ષોથી આ નવલકથામાંથી ઘણી ફિલ્મોએ પ્રેરણા લીધી છે. ફક્ત હિન્દી ભાષાની જ ફિલ્મોની વાત કરીએ તો પણ 'અખિયોં કે ઝરોખો સે' અને 'ખ્વાહિશ' નામની ફિલ્મો આ જ નવલકથા પરથી પ્રેરિત છે. 'મુઝસે દોસ્તી કરોગે' ફિલ્મમાં પણ નવલકથાનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પણ મુખ્યત્વે નવલકથાની વાર્તામાં થોડા ફેરફારો કરીને જ બનાવવામાં આવી છે. આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે, માટે જેમણે ફિલ્મ જોયેલી હોય તેમણે જ આગળ વાંચવું, જેમણે ફિલ્મ જોયી હશે, તેમને વાર્તા ખ્યાલ જ હશે, માટે હું વાર્તા લખીશ નહીં, પરંતુ પ્રસ્તુત છે ફિલ્મની અંદરની અમુક સુંદર વાતોનું અર્થઘટન.





ફિલ્મની સૌથી સુંદર વાત છે કે ફિલ્મ આંતરિક સુંદરતા પર ભાર મૂકે છે. સરસ્વતી અને ઇન્દર બંનેને આસપાસનાં લોકો સુંદર કે સારા વ્યક્તિ માનતાં નથી. પરંતુ તેઓ બંને એકબીજાની આંતરિક સુંદરતાને કહ્યા વિના સમજી લે છે. સમાજની નજરમાં ઇન્દર એક હત્યારો છે, જે કોઈનું ખૂન કરવાના આરોપમાં કારાવાસની સજા કાપીને આવ્યો છે. ઇન્દર બિલાડીને દૂધ પીવડાવે છે, નાની નાની વાતોમાં સરુનું ધ્યાન રાખે છે, સરુનાં લગ્નની કંકોત્રી તેનાં પિતાને આપવા માટે રસ્તા પર રીતસર દોડે છે, વાહનો સાથે અથડાવાની પરવા કર્યા વિના. એટલે સુધી કે સરુનાં પિતા કંકોત્રી ફેંકી દે છે, તે પોતાનાં શર્ટથી સાફ કરે છે. સરુની ઑફિસનાં લોકો અને તેની પોતાની બહેન પણ તેની મજાક કરે છે, પરંતુ સરુ અંદરથી એક સાફ દિલની યુવતી છે, જે કોઈની પણ મદદ કરવા માટે ક્યારેય ના પાડતી નથી. એટલે જ ઇન્દર અને સરસ્વતી એકબીજાને પૂર્ણ કરે છે, બંને એકબીજા માટે સર્જાયેલ છે. ઇન્દર હૉસ્પિટલની પથારીએ સરસ્વતીને પૂછે છે કે ક્યારેય તેને સવાલ ન થયો કે તેણે કોનું ખૂન કર્યુ હશે? પરંતુ સરુ જવાબ આપે છે કે ઇન્દરે કોઈને બચાવવા માટે જ કોઈનું ખૂન કર્યુ હશે, જે સરુનો ઇન્દર પરનો વિશ્વાસ દર્શાવે છે, સરુની આંતરિક સુંદરતા પણ દર્શાવે છે. 

આંતરિક સુંદરતા


ફિલ્મ ઘા અને આઘાત લાગવાની પ્રક્રિયા સાથે પણ સંબંધ ધરાવે છે. ફિલ્મની ટેગલાઇન એ જ રીતે હતી, 'શાપ સાથેની પ્રેમકથા'. ઇન્દર અને સરસ્વતી પહેલી વખત લિફ્ટમાં મળે છે, એ પછી અડધી રાતે સરસ્વતી ઇન્દરને ઘેર જાય છે, ઇન્દરની ગર્લફ્રેન્ડ કાચનો શીશો ફેંકે છે એ વખતે ઇન્દર સરસ્વતીને બચાવી લે છે અને તેને ઘા મળે છે. મેડિકલની દુકાન પર જ્યારે ઇન્સ્પેક્ટર પૂછે છે ત્યારે ઇન્દર જવાબ આપે છે કે એના ઘા ઝડપથી રુઝાય છે, આ વાક્ય ઇન્દરની અત્યાર સુધીની જિંદગી દર્શાવે છે, જ્યારે તેને હત્યા કેસમાં પિતાએ પણ સાથ આપ્યો નહીં હોય અને તેની જેલમાં હાલત કેવી થઈ હશે. સરસ્વતીને પણ લોકો હમેંશા ઘા આપે છે, તેની મજાક બનાવીને, તેનું અપમાન કરીને, આ વસ્તુઓ શરીર પર પડતા ઉઝરડાની જેમ દેખાતી નથી, પરંતુ માણસને અંદર જ કોરી ખાય છે. આ વસ્તુઓથી પરિચિત ઇન્દર હમેંશા સરસ્વતીની તકલીફોમાં તેની સાથે જ રહે છે, તેનું રક્ષણાત્મક કવચ બનીને. ઘણી બધી વખત ઇન્દર સરસ્વતીનાં દુ:ખ સમયે કંઈ બોલતો નથી, પરંતુ તેની આંખો દર્શાવે છે કે તે પણ સરસ્વતીનું દુ:ખ અનુભવે છે. 

ઘા

ગુલાબનું ફૂલ તેમજ ગલગોટાનું ફૂલ બંને અલગ અલગ રીતે ફિલ્મોમાં રૂપક બને છે. ફૂલો હમેંશા સુંદર હોય છે. પણ દરેક ફૂલનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે સુધી કે એક ફૂલનો અલગ અલગ જગ્યાઓએ પણ ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબ પ્રેમ, ખુશી અને સુંદરતા દર્શાવવા માટે વાપરવામાં આવે છે. ઇન્દર સરસ્વતીને જે ગુલાબનું ફૂલ આપે છે તે સરસ્વતી સાચવીને રાખે છે. હૉસ્પિટલમાં જ્યારે ઇન્સ્પેક્ટર સરસ્વતીનું પર્સ પાછું આપે છે ત્યારે એક પુસ્તકમાંથી એ સૂકાયેલું ગુલાબનું ફૂલ મળી આવે છે. સરસ્વતી અને અભિમન્યુના લગ્ન માટે જતી વખતે ઇન્દર કારનાં વાઇપર પાસે ગુલાબનું ફૂલ મૂકે છે. લાલ વસ્ત્રોમાં સજ્જ સરસ્વતી પણ ગુલાબ જેટલી જ સુંદર લાગે છે. ફિલ્મનું મુખ્ય પોસ્ટર પણ બાથટબની પાસે ગુલાબની પાંખડીઓ દર્શાવે છે. ફિલ્મનાં અન્ય એક પોસ્ટરમાં પણ ફૂલોની ડિઝાઈન રહેલી છે. ગુલાબની સાથે સાથે ગલગોટાનું ફૂલ પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન વખતે પહેરાવવામાં આવતી માળામાં મોટેભાગે એ ફૂલ વપરાય છે, એ સાથે જ ફેરા વખતે વર અને વધૂ બંને પર ગલગોટાની પાંખડીઓનો છંટકાવ કરવામાં આવે છે.

ગુલાબ

જીવતી વ્યક્તિની તસવીર પર માળા લગાવવી એક અપશુકન માનવામાં આવે છે, કારણ કે સુખડનો એ હાર તસવીર પર મૃત્યુ પછી લગાડવામાં આવે છે. એક નાની ગેરસમજને કારણે સરસવતીનાં પિતા પોતાની દીકરીને મૃત જાહેર કરે છે અને અંતિમક્રિયા પછી કરવામાં આવતી વિધિ પણ કરે છે અને સરસ્વતીનાં ફોટો પર માળા ચડાવે છે. કોઈ પણ જીવતી વ્યક્તિ પોતાની તસવીર પર માળા જુએ અને જે દુ:ખની લાગણી થાય તે લાગણી સરસ્વતી પણ અનુભવે છે. સરસ્વતીને દુ:ખી ન જોઈ શકતો ઇન્દર વારંવાર સરસ્વતીનાં માતા-પિતા સમક્ષ એ જ વાત કરે છે કે એની તસવીર પર માળા ન ચડાવે. સરુનાં પિતા માળા ચડાવવાનું બંધ કરતાં નથી, એ વખતે છેલ્લી વખત એ માળા ઉતારીને ઇન્દર પોતે પહેરી લે છે. ઇન્દર કહે છે કે સરુ માટે એ કોઈને મારી પણ શકે છે અને પોતે મરી પણ શકે છે. માળા પહેરેલો ઇન્દર સરસ્વતીનાં મૃત્યુ પછી એનાં પ્રેમમાં રોજેરોજ થોડો મરીને જીવશે, એ સાબિતી પૂરે છે. 

માળા

સરુ અને ઇન્દરનાં સ્ક્રીન પર દર્શાવવામાં આવતા અડધા ચહેરા પણ રસપ્રદ છે, આગળ કહ્યું તેમ તેઓ એકબીજાને પૂર્ણ કરે છે, તે માટે કદાચ એ રીતે સ્ક્રીન પર બતાવવાનો ઉદ્દેશ હોઈ પણ શકે. હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની જોડી નિર્દોષ અને સંપૂર્ણ લાગે છે. તેઓની રડતી આંખો મને પણ રડાવે છે. જે રીતે એ લોકો એકબીજાને ભેટે છે, જે રીતે એકબીજાનો હાથ પકડીને સહારો આપે છે, પરફેક્ટ!

સરુ અને ઇન્દર એકબીજાને પૂર્ણ કરે છે



હાથ

આલિંગન


આ ફિલ્મ વિશે મારે ખૂબ લખવું છે, પણ અમુક વાતો ફક્ત અનુભવી શકાય છે, શબ્દોમાં વ્યક્ત કરવી ક્યારેક મુશ્કેલ પડે છે. તે જ રીતે અમુક વાતો સમજણમાં પણ આવતી નથી. સરસ્વતીનાં હાથની મહેંદીની ડિઝાઈન અને ઇન્દરનાં શરીર પરનાં ટેટૂ પણ કંઈક વાતો ચોક્કસ કહે છે, જે મને ખ્યાલ આવતો નથી. તે જ રીતે ફ્લેટનાં ધાબે રહેલ 'પ્લેક્સ ઇન્સ્યોરન્સ'નું હોર્ડિંગ કોઈ વાત દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે નહીં તે પણ ખ્યાલ નથી, કારણ કે એ હોર્ડિંગ સાથેનાં દ્રશ્યો પણ ફિલ્મમાં ત્રણેક વખત છે. માણસની જિંદગીનો વીમો ઊતારવો અને જ્યાં સુધી હાથમાંની મહેંદી ખરે ત્યાં સુધી જીવીત રહેવું, એ વાતો વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? વિચારવા જેવી ખૂબ સુંદર વાત કદાચ હોઈ પણ શકે, ન પણ હોય, આ ફક્ત મારો વિચાર છે.   

અધૂરી ઇચ્છા અને વીમો


કોઈપણ ફિલ્મની સુંદરતામાં સંગીત હમેંશા વધારો કરે છે, ફિલ્મનાં ગીતો ખૂબ જ સુંદર છે. હિમેશ રેશમિયાનું સંગીત ખૂબ જ કર્ણપ્રિય લાગે છે. 'ખીંચ મેરી ફોટો' ગીતમાં તસવીર ખેંચીને યાદો પાસે રાખી લેવાનો ઉદ્દેશ છે. જે ખેંચેલી તસવીરો ઇન્દરનાં સ્ક્રીનસેવરમાં રહે છે, જ્યારે સરુની મા સરુની બહેન કાવેરીનાં લગ્નની કંકોત્રી આપવા ઇન્દરને ઘેર જાય છે ત્યારે એ તસવીરો દ્રશ્યમાન થાય છે. 'બેવજહ' ગીત જૂની યાદો અને પ્રેમની અંદરની તડપ દર્શાવે છે. 'તેરા ચહેરા' ગીત ઇન્દર અને સરુનો પ્રેમ ખૂબ જ સુંદર અને નાજુક રીતે રજૂ કરે છે. 'હાલ-એ-દિલ' પણ પ્રેમની લાગણીઓ દર્શાવતું સુંદર ગીત છે. 

તસવીરો અને યાદો


ફિલ્મનાં પાત્રો જૂની યાદો અને વાતોને છોડી શકતાં નથી, ગીતનાં શબ્દોમાં પણ અત્યારે દૂર ન જાઓ તેમજ યાદોની કેદમાં દિલ પૂરાઈ ગયું તે પ્રકારનાં શબ્દો છે. કેળનાં પાંદડા જોઈને સરુને પોતાનાં પિતા યાદ આવે છે, જે આપણને ફિલ્મમાં કહેવામાં આવ્યું નથી, પણ એ સમજવું પડે છે. સરસ્વતીનો સામાન જ્યારે નર્સ ઇન્દરને આપે છે ત્યારે સરસ્વતીનાં ફોનની સાથે સાથે ચેઇન પણ મળે છે, જે ચેઇનનું પેન્ડન્ટ પણ સરસ્વતી દેવીની નાની મૂર્તિ દર્શાવે છે. સરસ્વતીનાં પિતા ફિલ્મની શરૂઆતમાં તેને રુમીની કવિતાઓનું પુસ્તક વાંચવાની ના પાડે છે, એ જ પુસ્તક તેઓ પોતે જ્યારે સરસ્વતી તેમની પાસે નથી ત્યારે તેની યાદગીરી રૂપે વાંચે છે. ઇન્દર પોતાનાં પિતા તેની સાથે હત્યા કેસમાં ન રહ્યા અને તેને સજામાંથી છૂટકારો ન અપાવ્યો, એ વાતોનો અફસોસ સાથે રાખીને ફરે છે...

જૂની યાદોમાંથી બહાર ન નીકળી શકવું



ફિલ્મની અંદર લગ્નની પ્રતિજ્ઞાઓ ન માનીએ તો ખોટી પ્રતિજ્ઞાઓ ન લેવાનો સંદેશો ખૂબ સુંદર વાત રજૂ કરે છે. ઇન્દર કહે છે કે તે પોતાનાં પિતાની મર્યાદા કે ઇજ્જત રાખતો નથી, માટે એ ખોટી પ્રતિજ્ઞા લઈ નહીં શકે, કારણ કે એ સરસ્વતીની સામે ખોટું બોલવા ઇચ્છતો નથી. પ્રેમ દુનિયાની સામે બતાવવા માટે નથી, પરંતુ તમારા સાથીનો તમે સાથ નિભાવો છો તે જ સૌથી વધુ અગત્યની બાબત છે. સાદી રીતે માળા પહેરાવીને થતા લગ્નનો કે લગ્ન વિનાનો પ્રેમ પણ ટકી જ શકે છે. 

લગ્ન અને વિશ્વાસ


પ્રેમ વ્યક્તિનાં મૃત્યુ સાથે પૂરો થઈ જતો નથી, પરંતુ હમેંશા સાથે જ રહે છે, એ વાતની સાબિતી રૂપે સરસ્વતી ઇન્દરને અનંત સુધી પ્રેમ કરવાનું વચન આપે છે... 

અનંત સુધી પ્રેમ


ઇન્દર જે રીતે સરસ્વતીનાં માતા-પિતાની કદર કરે છે, એ કહેવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી, જે રીતે એ પોતાનાં અને સરુનાં માતા-પિતાને ભેટે છે, એ મને રડાવી મૂકે છે, એ સાથે જ ખુશી પણ આપે છે... 

માતા-પિતા

ફિલ્મની અંદર એક બીજી સરસ વાત એ છે કે ફિલ્મમાં કહ્યું છે કે માફી અને પ્રેમ દુનિયાને ચલાવવા માટે પૂરતાં છે, જો કોઈને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરી દો, કોઈની માફી માંગવી છે તો માંગી લો. કારણ કે સંબંધો અને જિંદગી ઘણી બધી વખત બીજો મોકો આપતી નથી... 

માફી અને પ્રેમ

સરસ્વતી ઇન્દરને કહે છે કે લોકો એટલા માટે સાથે નથી રહેતા કારણ કે તેઓ જૂની ખરાબ વાતો ભૂલી જાય છે, પરંતુ લોકો એટલા માટે સાથે રહે છે કારણ કે તેઓ એકબીજાને માફ કરી દે છે. સરસ્વતીની આ જ વાત ઇન્દર પોતાના પિતાને કરીને તેમને ભેટી પડે છે. કારણ કે સંબંધોને બદલી શકાતા નથી, માત્ર સ્વીકારી શકાય છે. 

માફી




આંસુઓની સાથે વહી જતો પ્રેમ


સરસ્વતી કહે છે કે મૃત્યુ પછી તેને ફક્ત ઇન્દરનાં ઓક વૃક્ષની નીચે દાટવામાં આવે, જ્યારે કોઈ નજીકની વ્યક્તિ તેની પાસે આવશે ત્યારે તે તેની પર ફૂલો વરસાવશે. એ વાત ફરી ફૂલોનો ઉલ્લેખ કરે છે. યાદો ક્યારેય કોઈ છીનવી શકતું નથી... 

મૃત્યુ



ફિલ્મનું શીર્ષક ગીત અને યાદો

'સનમ તેરી કસમ' મને ઉદાસ કરી મૂકે છે, એ છતાં મને આ ફિલ્મ ગમે છે. આ ફિલ્મ દુ:ખની લાગણીઓની સાથે સાથે આશાનું કિરણ અને મૃત્યુપર્યંત ચાલુ રહેતો પ્રેમ જેવી વાતો પણ દર્શાવે છે. ફિલ્મની નાનામાં નાની ઘણી વાતો મેં અહીં લખી નથી, કારણ કે તે ફક્ત અનુભવી શકાય છે, વ્યક્ત કરી શકાતી નથી. આ પોસ્ટ મારે સારી રીતે લખવી હતી, પણ મને ખબર છે કે ખૂબ જ ખરાબ લખાઈ છે. પરંતુ સરુ અને ઇન્દર મારી મનપસંદ જોડીઓમાં સ્થાન પામી ચૂક્યા છે, એ નક્કી!! ફિલ્મની અંદર ઉલ્લેખનીય પુસ્તકો સાથે આ બ્લૉગ પોસ્ટ પૂરી કરી રહ્યો છું...


Books in Movies